વીર બનાવી શકાય
બધા માણસોને યોદ્ધા બનાવી શકાતા નથી.હા,
યોદ્ધાનું શિક્ષણ બધાને આપી શકાય છે. યોદ્ધાપણું જન્મજાત હોય છે અને ટે છે શૌર્ય.
જે પ્રજામાં શૌર્યની પ્રાધાન્યતા હોય છે તેનામાં કેટલાક ગુણો અને કેટલાક દોષો પણ
હોય છે. શૌર્ય મહાશક્તિ છે. તેના ઉપર
ધર્મનું નિયંત્રણ રહે તો જ ટે કલ્યાણકારી થઈ શકતું હોય છે. શૌર્ય એકલું યુદ્ધ કે
રાજ્ય કરી શકતું નથી. તેના ઉપર કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ કે વર્ગનું માર્ગદર્શન પણ
જરૂરી હોય છે. યોદ્ધાઓ લડતા નથી તેમને લડાવાય છે. લડાવી જાણનારા પરિણામ મેળવતા હોય
છે. કુકરીઓ પોતે રમતી નથી, તેમને કોઈકની આંગળીઓ રમાડતી હોય છે. યોદ્ધાઓ પાસે યુદ્ધ
કરાવનાર કોઈ નેતા કે સેનાપતિ હોય છે. જે પ્રખર બુદ્ધિશાળી અને વ્યુહબાજ હોવો જરૂરી
છે. કેટલીક વાર એવું પણ બને કે પ્રજા યોદ્ધા તો પકવે પણ સેનાપતિ કે યુદ્ધાનેતા ન
પકવે તો પ્રજાનું યોદ્ધાપણું પોતાના ઉપયોગમાં ન આવે અથવા છું આવે. પણ જો પ્રજા
યુદ્ધાનેતાઓ કે સેનાપતિઓ પકવે તો યોદ્ધાઓ સક્રિય થઈ જાય અને તેમની શક્તિ
પરિણામદાયી થઇ શકે.યુદ્ધાનેતા અને રાજનેતા બંનેમાં ભેદ છે. રણમેદાનમાં યુદ્ધ કરી
શકે અને જીતી શકે તેને યુદ્ધાનેતા કહેવાય પણ રાજધાનીમાં બેઠો બેઠો જે રાજકારણના
સોગઠાં રમી જાણે તેને રાજનેતા કહેવાય. બંને એકબીજાના પૂરક છે. શ્રીકૃષ્ણમાં
યુદ્ધનેતા અને રાજનેતા બંનેના સંયુક્ત ગુણો એકસાથે પુરેપુરા વિકસ્યા છે. આવું જ એક ઐતિહાસિક પાત્ર છે જેનામાં પુરેપુરા
રાજનેતા અને યુદ્ધાનેતાના ભરપુર ગુણો વિકસ્યા છે. તે છે છત્રપતિ શિવાજી મહારાજ.
ખરેખર તો પ્રત્યેક વ્યક્તિ
નર-નારીને ધાર્મિક આચાર- વિચારોથી વીર બનાવી શકાય છે. અહિંસાવાદી ધર્મો અને વિચારો
વીરતાના પોષક ન રહ્યા. માર ખાઈ લેવો, સહન કરી લેવું વિગેરે વિચારોથી પ્રજા વીરતાની
ઉપાસક ન થઇ શકી. તેવો ઉપદેશ જ નહોતો ન તેવી પ્રેરણા હતી. આવા સંજોગોમાં આ દેશ
ગુલામ ન થાય તો બીજું શું થાય ? આપણે સદીઓ સુધી વિદેશીઓની ગુલામી ભોગવી, ગુલામીનાં
ઘણાં દુઃખો પણ ભોગવ્યાં. આવા સમયે ઉત્તરમાં ગુરુ ગોવિન્દસિંહજી અને દક્ષિણમાં
છત્રપતિ શિવાજી થયા. જેમણે પ્રચંડ વીરતા બતાવીને વિદેશી અને વિધર્મીઓનાં શાસનના
ધૂંસરાને ફગાવી દેવા ભરપુર પ્રયાસ કર્યા. મને લાગે છે કે આ આઝાદીનો પ્રથમ પ્રથમ
જંગ હતો. કેવી નવાઈની વાત કહેવાય કે ૯૫ % હિંદુ પ્રજા હોવાં છતાં તેનો કોઈ બાદશાહ
નહિ અને માત્ર પાંચ જ ટકા પ્રજા હોય તેનો બાદશાહ પુરા ભારત ઉપર એકછત્ર રાજ્ય કરે !
(ત્યારે મુસ્લિમોની સંખ્યા માત્ર પાંચ જ ટકા હતી.) આટલી મોટી દુર્દશા આપણે ભોગવતા રહ્યા. તેમાંથી
છોડાવનારા હીરોના જીવન ચરિત્રો ને આપણે વાંચીએ. તો કદાચ સાચી દિશાની પ્રેરણા મળે.
આપણી કમજોરીનાં ખરાં રાજકીય, ધાર્મિક અને સામાજિક કારણો આપણે સમજીએ અને સ્વીકારી
તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ તો જ પ્રજા તરીકે આપણે મહાન થઈને મહાન રાષ્ટ્રના
નિર્માતા થઈ શકીએ.
આવા જ ઉમદા આશયથી અને આપણી વીરતાને
પુનઃ પ્રાપ્ત કરવા આપને સૌએ ગુલામીના જંજીરોમાંથી મુક્ત કરાવનારા હીરોના
પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. આવા પુસ્તકો વાંચવાથી જ લોકોને કાંઈક તો સત્પ્રેરણા
પ્રાપ્ત થશે જ. ખાસ કરીને સતત ગુલામી ભોગવનાર ગુજરાતી પ્રજા તો આમાંથી જરૂર કાંઈક
બોધપાઠ લેશે જ. જય ભવાની .
ટિપ્પણીઓ