પોસ્ટ્સ

ડિસેમ્બર 3, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વીર બનાવી શકાય

    બધા માણસોને યોદ્ધા બનાવી શકાતા નથી.હા, યોદ્ધાનું શિક્ષણ બધાને આપી શકાય છે. યોદ્ધાપણું જન્મજાત હોય છે અને ટે છે શૌર્ય. જે પ્રજામાં શૌર્યની પ્રાધાન્યતા હોય છે તેનામાં કેટલાક ગુણો અને કેટલાક દોષો પણ હોય છે.   શૌર્ય મહાશક્તિ છે. તેના ઉપર ધર્મનું નિયંત્રણ રહે તો જ ટે કલ્યાણકારી થઈ શકતું હોય છે. શૌર્ય એકલું યુદ્ધ કે રાજ્ય કરી શકતું નથી. તેના ઉપર કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ કે વર્ગનું માર્ગદર્શન પણ જરૂરી હોય છે. યોદ્ધાઓ લડતા નથી તેમને લડાવાય છે. લડાવી જાણનારા પરિણામ મેળવતા હોય છે. કુકરીઓ પોતે રમતી નથી, તેમને કોઈકની આંગળીઓ રમાડતી હોય છે. યોદ્ધાઓ પાસે યુદ્ધ કરાવનાર કોઈ નેતા કે સેનાપતિ હોય છે. જે પ્રખર બુદ્ધિશાળી અને વ્યુહબાજ હોવો જરૂરી છે. કેટલીક વાર એવું પણ બને કે પ્રજા યોદ્ધા તો પકવે પણ સેનાપતિ કે યુદ્ધાનેતા ન પકવે તો પ્રજાનું યોદ્ધાપણું પોતાના ઉપયોગમાં ન આવે અથવા છું આવે. પણ જો પ્રજા યુદ્ધાનેતાઓ કે સેનાપતિઓ પકવે તો યોદ્ધાઓ સક્રિય થઈ જાય અને તેમની શક્તિ પરિણામદાયી થઇ શકે.યુદ્ધાનેતા અને રાજનેતા બંનેમાં ભેદ છે. રણમેદાનમાં યુદ્ધ કરી શકે અને જીતી શકે તેને યુદ્ધાનેતા કહેવાય પણ રાજધાનીમાં બેઠો બેઠ

ક્ષત્રિય ઈતિહાસ

ઇતિહાસ શ્રી ભવાનસિન્હ કે.ઠાકુર ના જય માતાજી   સમગ્ર ક્ષત્રિય સમાજની આદર્શ પરંપરાઓ તથા ઈતિહાસ અને ગૌરવશાળી સંસ્કૃતિની પુન:સ્થાપના માટે સદાય   કાર્યરત ક્ષત્રિય વંશનો ઈતિહાસ         ક્ષત્રિય વંશના પરંપરાગત આદર્શોની રક્ષા તથા વંશની ગૌરવશાળી સંસ્કૃતિ ની પુર્નસ્થાપનાના હેતું માટે સતત કાર્યશીલ , સંકલ્પિત અને સંઘર્શરત   એવા તમામ ક્ષત્રિય – કુળ- ભૂશણો ને “ ભવાનસિંહ ઠાકુર   તથા યુવા   ક્ષત્રિય સેના ગુજરાતના   શત શત નમન. પ્રસ્તાવના        પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.            ક્ષત્રિય વંશાવળી , ગોત્ર , પવિત્ર પરંપરાઓ , માન મર્યાદાઓ , વીરતાઓનોજ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ ક્ષત્રિય ઈતિહાસ ’ પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે.     ભારતનો   દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ   નથી. કારણ