વીર બનાવી શકાય
બધા માણસોને યોદ્ધા બનાવી શકાતા નથી.હા, યોદ્ધાનું શિક્ષણ બધાને આપી શકાય છે. યોદ્ધાપણું જન્મજાત હોય છે અને ટે છે શૌર્ય. જે પ્રજામાં શૌર્યની પ્રાધાન્યતા હોય છે તેનામાં કેટલાક ગુણો અને કેટલાક દોષો પણ હોય છે. શૌર્ય મહાશક્તિ છે. તેના ઉપર ધર્મનું નિયંત્રણ રહે તો જ ટે કલ્યાણકારી થઈ શકતું હોય છે. શૌર્ય એકલું યુદ્ધ કે રાજ્ય કરી શકતું નથી. તેના ઉપર કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ કે વર્ગનું માર્ગદર્શન પણ જરૂરી હોય છે. યોદ્ધાઓ લડતા નથી તેમને લડાવાય છે. લડાવી જાણનારા પરિણામ મેળવતા હોય છે. કુકરીઓ પોતે રમતી નથી, તેમને કોઈકની આંગળીઓ રમાડતી હોય છે. યોદ્ધાઓ પાસે યુદ્ધ કરાવનાર કોઈ નેતા કે સેનાપતિ હોય છે. જે પ્રખર બુદ્ધિશાળી અને વ્યુહબાજ હોવો જરૂરી છે. કેટલીક વાર એવું પણ બને કે પ્રજા યોદ્ધા તો પકવે પણ સેનાપતિ કે યુદ્ધાનેતા ન પકવે તો પ્રજાનું યોદ્ધાપણું પોતાના ઉપયોગમાં ન આવે અથવા છું આવે. પણ જો પ્રજા યુદ્ધાનેતાઓ કે સેનાપતિઓ પકવે તો યોદ્ધાઓ સક્રિય થઈ જાય અને તેમની શક્તિ પરિણામદાયી થઇ શકે.યુદ્ધાનેતા અને રાજનેતા બંનેમાં ભેદ છે. રણમેદાનમાં યુદ્ધ કરી શકે અને જીતી શકે તેને યુદ્ધાનેતા કહેવાય પણ રાજધાનીમાં બેઠો બેઠ