ઠાકોર યા ઠાકુર સંદર્ભ
ઠાકોર યા ઠાકુર સંદર્ભ કહેવાય છે કે ભારત દેશમાં એકતામાં વિવિધતા અને વિવિધાતામાં એકતા જોવા મળે છે. આ સર્વથા સનાતન સત્ય છે. સાંસ્ક્રુતિક એક્તાથી આખો દેશ અકજુથ છે. જન્મથી લઈને મૃત્યુપર્યાન્ત સંસ્કારોમાં પણ આશ્ચર્યજનક સમાનતા જોવા મળે છે. એજ રીતે દૈનિક જીવન , રહેણી કરણી , અને વ્યવહારોમાં પણ સમાનતા જોવા મળે છે. આ છે ભારતની સંસ્કૃતિ. સૌથી અગત્યની સમાનતા જોવા જઈએ તો ગુજરાત અને રાજસ્થાન તો એક બીજા સાથે મળી ગયા હોય એવી સંસ્કૃતિ છે. એમાય ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તો તમામ દ્રષ્ટિએ એકબીજાની સમાનતાની નજીક છે. પહેરવેશ , બોલી વિગેરે માં સમાનતા જોવા મળે છે. આમ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ તો પ્રાયઃ એક જ છે. રાજસ્થાન અને ગુજરાતની ઐતિહાસિક , સાંસ્ક્રુતિક અને ભૌગોલિક તેમજ રાજકીય વિવરણ અંગ્રેજ ઈતિહાસકાર એલેકઝાંડર કિનલોક ફાર્બસ ને પોતાના ગુજરાત અને રાજસ્થાનન પુસ્તકોમાં કરેલું જોવા મળે છે. અટકો અને જાતિવાચક સમૂહો અને પેટા સમૂહો ની પણ ગુજરાતમાં એક આગવી ઓળખ છે. બ્રાહ્મણ , ક્ષત્રિયા , વૈશ્ય અને સેવક એમ ચાર વરણોમાં વિભાજિત હિન્દુ સમાજમાં અનેક અટકો અને પેટા અટકો તેમજ સમૂહો અને પેટા સમૂહો