આશાવલ યા કર્ણાવતી
વિદાય લેતા વિક્રમ સંવત-2074 અને સમૃદ્ધિના અપાર ભંડારો સાથે દેદીપ્યમાન સુરજ દેવા કિરણોથી સજાયેલ માં ધરતીમાતાના ખોળાને ખૂંદવા ફરીથી વિક્રમ સંવત-2075 ના સુપ્રભાતે વંદન કરીને સમાજના સૌને ઝાયણીના ઝવાર સાથે ઝાઝા કરીને રાંમ રાંમ અને નવવર્ષ સૌના માટે અનેક આશાઓના ઉજળા ભવિષ્યનું નિર્માણ કરે એવી શુભ કામનાઓ। મિત્રો આજે આપણે હાલના અમદાવાદ અને પૂર્વકાળમાં જેનું નામ આશાવલ કે કર્ણાવતી હતું એવા ગુજરાતના આ સૌથી મોટા શહેર વિષે જાણીયે। કોઈપણ સમાજ હોય કે ગામ હોય કે જાતિ હોય એનો ઇતિહાસ જાણવો જરૂરી હોય છે. તો મિત્રો ચાલો આપણે હાલના અમદાવાદ કે કર્ણાવતી કે આશાવલ વિષે ઐતિહાસિક મહત્વને જાણીયે। હાલમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો વિચાર વહેતો થયો છે તો આ બાબતે આપણે કરણાવતી- આશાવલી નગર ની ઐતિહાસિક માહિતી મેળવીયે। આજથી એક હજાર વર્ષ પૂર્વે હાલનું અમદાવાદ એટલે કે આશાવલ નામનું આ નગર એક સમૃદ્ધ નગર હતું। આશા નામના ભીલોના રાજા એ આ નગરની સ્થાપના લગભગ અગિયારમી સદીમાં કરેલી હતી. આથી આશા નામના ભીલ રાજાના નામ ઉપરથી હાલના અમદાવાદનું નામ આશાવલ રાખવામાં આવ્યું હતું। ગુજરાતમાં રાજપૂત રાજાઓનું શાસન આવ્યું એ પહેલાં ગુજ